Tuesday, March 24, 2020

હંતા વાયરસ વિશે જાણો..

       મિત્રો હાલમાં તમે ન્યુઝ ચેનલ ઉપર એક નવા વાયરસ વિશે સાંભળ્યો જ હશે આ વાયરસ ચીનમાં યુનાન પ્રાંતમાં એક વ્યક્તિના મોત નું કારણ બને છે. આ વાયરસ નું નામ છે હંતા વાયરસ. આ વાયરસ શું છે? ક્યાંથી આવ્યો અને કેવી રીતે તેનો ચેપ લાગે છે વગેરે વિશેની જાણકારી આ લેખમાં તમને મળી રહેશે.

        હંતા વાયરસ એ ઉંદરોના મળ મૂત્ર જેવા ઉત્સર્ગ દ્રવ્યો માં રહેતા હોય છે પરંતુ ઉંદરોને બીમાર કરતા નથી. ઉંદરોના ઉત્સર્ગદ્રવ્યોના સંપર્કમાં આવવાથી માણસોની અંદર આ રોગ થતો જોવા મળે છે. આ રોગથી બચવા માટે ઘરમાંં ઉંદરોની અવર-જવર અટકાવવી. એવું ખૂબ જ ઓછું જોવા મળ્યું છે કે આ વાયરસનો ફેલાવો એક માણસથી બીજા માણસમાં થતો હોય. એટલે કે આ વાયરસ કોરોના જેવો ઝડપી અને ખતરનાક નથી. કોરોના ની જેમ આ વાઇરસ પણ માણસના શ્વસનતંત્ર પણ અસર કરે છે. આ રોગથી બચવા સમયસર ઈલાજ કરાવવો જરૂરી છે.
       આ વાયરસ થી થતા રોગ ના લક્ષણો માં તમને માથાનો દુખાવો,તાવ,ડાયરિયા તેમજ શ્વસનમાં તકલીફ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ વાયરસની હજી સુધી કોઈ રસી શોધવામાં આવી નથી. સમયસર ઈલાજ માત્ર તેનો ઉપાય છે. સમયસર ઈલાજના કરવાથી ન્યુમોનિયા થઇ જાય છે અને અંતે મોતનું કારણ બને છે.

No comments:

Post a Comment